સરસ્વતી તાલુકાના અબલુવા ગામે તળાવમાં પાણીની અછત, માછલીઓના જીવ પર સંકટ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અબલુવા ગામે આવેલ તળાવમાં પાણીનું સ્તર ખૂબ ઘટી જતાં માછલીઓના જીવ પર સંકટ ઊભું થયું છે. ધગધગતી ગરમી અને તળાવમાં ઓછા પાણીના કારણે મોટી સંખ્યામાં માછલીઓ તરફડતી નજરે પડી રહી છે. ગામલોકોમાં પણ ચિંતા વ્યાપી છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં થાય તો માછલીઓના મોતનો ખતરો વધી શકે છે. સ્થાનિકો દ્વારા તંત્રને યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી રહી છે