ભાવનગરમાં સેવા અને શિક્ષણને સમર્પિત અનોખી પહેલ ભાવનગર શહેરના જશોનાથ મહાદેવ મંદિરના ગેટ પાસે કંચન ફાઉન્ડેશનના સહયોગથી અતિ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પાઠ્યસામગ્રી વિતરણ સેવા યોજાઈ રહી છે. આ સેવાકીય કાર્ય અંતર્ગત દિવ્યાંગ, અંધ, અપંગ, વિધવા બહેનોના સંતાનો તેમજ મા-બાપ વગરના અનાથ બાળકોને સહાયરૂપ થવા માટે ધોરણ 5 થી 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દીકરા-દીકરીઓને પાઠ્યપુસ્તકો અને ફુલસ્કેપ ચોપડાઓ આપવામાં આવશે. આ સેવા નાત-જાત, જ્ઞાતિ કે સંપ્રદાયના કોઈપણ ભેદભાવ વગર ઘણા વર્ષોથી નિસ્વાર્થ ભાવથી કરવામાં આવી રહી છે. કંચન ફાઉન્ડેશન દ્વારા શિક્ષણથી વંચિત અને જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થવાના હેતુથી આ માનવતાભર્યો પ્રયાસ સતત ચાલુ રાખવામાં આવ્યો છે. રિપોર્ટર ફિરોજ સેલોત