શહેરના વર્ષો જૂના ઐતિહાસિક મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય આખરે પૂર્ણ થયું છે. મંદિરને પથ્થરો પર કોતરણી કામ કરીને નવું અને આકર્ષક રૂપ આપવામાં આવ્યું છે. આજે વાસ્તુ પૂજા અને કળશ સ્થાપના સાથે મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં સુંદર બગીચો અને ભક્તો માટે વિરામખંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રિના સમયે મંદિર પર કરવામાં આવેલી લાઈટિંગ દરેકનું મન મોહી લે છે. મંદિર ટ્રસ્ટે દાતાઓનો આભાર માન્યો છે જેમના સહયોગથી આ ભવ્ય કાર્ય શક્ય બન્યું છે. આગામી દિવસોમાં અહીં વિશેષ પૂજા અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવશે.